IPL 2025માં પ્લેઓફ સ્ટેજ ચરમસીમાએ છે, અને બધાની નજર 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ક્વોલિફાયર-2 મેચ પર છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો મુકાબલો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. ફાઈનલમાં પહોંચવા માટે આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આ મેચના વિજેતાનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે, જેણે ક્વોલિફાયર-1માં PBKSને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી લીધું છે. પરંતુ જો આ ક્વોલિફાયર-2 મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, તો કઈ ટીમ ફાઈનલમાં રમશે?

