Sabarkantha news: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા 4 લાખથી વધુ પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવવધારો ચૂકવવામાં મોડું કર્યું છે. જેથી અગાઉ પશુપાલકો રોષે ભરાઈને કલેકટરને આવેદનપત્ર આપી ચુક્યા છે. ખેતીની સિઝનમાં પશુપાલકોને નાણાં માટે અન્ય લોકો પાસે હાથ લાંબા કરવાની નોબત આવે છે. જેને લઈ બાયડના ધારાસભ્યએ જણાવ્યું કે, આગામી 7 દિવસ સુધી સાબર ડેરી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોને દૂધનો ભાવફેર નહિ ચૂકવે તો સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવશે. તેમજ બાયડથી પદયાત્રા કરી સાબર ડેરીના ડિરેકટરોને મળીને ભાવફેર અંગે જણાવવામાં આવશે.

