સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન પંજાબ કિંગ્સ (PBKS) નો કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો હતો, જ્યારે અમ્પાયરે તેની તરફ જોયા વિના DRS માટે સંકેત આપ્યો ત્યારે શ્રેયસ (Shreyas Iyer) ને ગુસ્સો આવી ગયો હતો. 246 રન ડિફેન્ડ કરતી વખતે પંજાબની બોલિંગે નબળી હોવાથી પણ શ્રેયસ ઐયર (Shreyas Iyer) નિરાશ થયો હતો. અભિષેક શર્મા (Abhishek Sharma) ની 141 રનની શાનદાર ઈનિંગના આધારે, SRH એ 9 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો અને 8 વિકેટે જીત મેળવી હતી.

