
Last Update :
20 Nov 2025
12 જૂન 2025, ગુરુવારના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ ગઈ હતી. વિમાન ટેકઓફ કરી રહ્યું હતું કે તરત જ તે અચાનક નિયંત્રણ બહાર થઈ ગયું અને ક્રેશ થઈ ગયું હતું. અકસ્માત પછી તરત જ ઘટનાસ્થળેથી ગાઢ ધુમાડાના ગોટેગોટા નીકળતા ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતાં, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો. આ ભયાનક ઘટના પર બોલિવૂડ સેલિબ્રિટીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ત્રણ ખાન પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ આ વિમાન દુર્ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
'હે ભગવાન... હું સુન્ન છું', અમદાવાદ વિમાન દુર્ઘટનાના 24 કલાક પછી અમિતાભ બચ્ચને કરી પોસ્ટ
12 જૂન 2025, ગુરુવારના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ ગઈ હતી. વિમાન ટેકઓફ કરી રહ્યું હતું કે તરત જ તે અચાનક નિયંત્રણ બહાર થઈ ગયું અને ક્રેશ થઈ ગયું હતું. અકસ્માત પછી તરત જ ઘટનાસ્થળેથી ગાઢ ધુમાડાના ગોટેગોટા નીકળતા ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતાં, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો. આ ભયાનક ઘટના પર બોલિવૂડ સેલિબ્રિટીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ત્રણ ખાન પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ આ વિમાન દુર્ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.