અગ્રણી ક્રિકેટર સુનીલ ગાવસ્કર IPL 2025માં મોંઘા ભાવે વેચાયેલા ખેલાડીઓ પર સવાલ કર્યો છે. ગાવસ્કરે ખાસ કરીને તે ખેલાડીઓ પર નિશાનો સાધ્યું છે, જેમનું પૂરું ધ્યાન માત્ર IPL પર જ હોય છે અને જેઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાથી દૂર રહેવા ઈચ્છતા હોય છે. ગાવસ્કર અનુસાર, લાયક નહતા છતાં અમુક ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા છે.

