ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગઈ છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે છે. જે ઓગસ્ટમાં પૂરી થશે. આ સિરીઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જવાની હતી, જ્યાં તે ત્રણ ODI અને ત્રણ T20 મેચની સિરીઝ રમવાની હતી, પરંતુ હવે આ પ્રવાસ રિશેડ્યૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય તણાવને કારણે આ પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે.

