હિટમેન રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ટીમમાં ઉથલપાથલ છે. BCCI અને ભારતીય ટીમના સિલેક્ટર્સ આગામી ટેસ્ટ કેપ્ટન પસંદ કરવા માટે મથામણ કરી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલો પણ આવ્યા કે હવે વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. એક અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ BCCI સમક્ષ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ઈચ્છા વ્યક્ત કરી છે.

