Home / World : an made this statement offering to mediate between India-Pakistan conflict, know this

ઈરાને ભારત-પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપી આવું નિવેદન આપ્યું, જાણો

ઈરાને ભારત-પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપી આવું નિવેદન આપ્યું, જાણો

Iran offers to mediate between India and Pakistan : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દુનિયાના અનેક દેશોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં ભારતના સમર્થનની ખાતરી આપી છે. એવામાં હવે ઈરાને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ઓફર આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સ્થિરતાને પ્રાધાન્ય આપતા જણાવ્યું છે કે બંને દેશો સાથે અમારા ખૂબ સારા સંબંધ છે. બંને દેશો સાથે ઈરાનના સેંકડો વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધોના કારણે તેમને સૌથી વધુ પ્રથમિકતા આપીએ છીએ. આવા કપરા સમયમાં ઈરાન મધ્યસ્થતા માટે તૈયાર છે.

સંયુક્ત રાષ્ટ્રની સંયમ રાખવાની અપીલ
સંયુક્ત રાષ્ટ્રનું ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અંગે નિવેદન સામે આવ્યું છે. UNએ કહ્યું કે બંને દેશોએ આ પરિસ્થિતિમાં સંયમ રાખવાની જરૂર છે અને આ મુદ્દાનો ઉકેલ શાંતિથી-વાર્તાલાપ કરીને લાવવો જોઈએ. હાલ આ પરિસ્થિતિ ગંભીર છે અને અમારી નજર તેના પર છે.

 

ભારત-પાકિસ્તાનમાં તણાવ વચ્ચે ઈરાનની મધ્યસ્થતાની ઓફર, કહ્યું- બંને દેશો સાથે સારા છે સંબંધ 2 - image

Related News

Icon