દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે. તેમણે જ ભારતીય ફિલ્મોનો પાયો નાખ્યો હતો. એટલા માટે સિનેમાનો સૌથી મોટા પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' તેમના નામ પરથી છે. દાદા સાહેબના જીવન અને ફિલ્મો અંગેની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. હવે આ વાર્તા મોટા પડદા પર પણ જોવા મળશે.દાદાસાહેબ ફાળકે પર એક ફિલ્મ બનવા જઈ રહી છે.

