ભારતીય ચૂંટણી પંચના એક મહત્ત્વનો નિર્ણયથી 23 પાર્ટીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. વાસ્તવમાં આ પાર્ટીઓએ વર્ષ 2019થી એક પણ ચૂંટણી લડી નથી, જેના કારણે ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી છે. પંચે સ્પષ્ટ કહ્યું કે, ‘આ પાર્ટીઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ લાભો મેળવી રહ્યા છે, પરંતુ તેઓ ચૂંટણીમાં કોઈપણ રીતે સક્રિય નથી.

