વિશ્વ કલ્યાણ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત વિશ્વ નવકાર મહામંત્રના કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યુ. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે.

