દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી પૈકીની એક એવી સાબરમતી નદી શુદ્ધિકરણની કામગીરી ઉપર વીસ દિવસની કામગીરી પછી પૂર્ણ વિરામ મુકી દેવાયુ છે. સુભાષબ્રિજથી આંબેડકર બ્રિજ સુધી 11 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી નદીની પુરી સફાઈ કરવાના બદલે માત્ર છ કિલોમીટરથી વધુ સફાઈ કામગીરી થઈ હોવાનું બતાવી કામગીરી પુરી થઈ હોવાની કોર્પોરેશને જાહેરાત કરી છે.

