Patan news: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા સરિયદ ગામ નજીક આજે 23 જૂન સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થલેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગેની જાણ થતા પોલીસે ગુનો નોંધી ડમ્પરચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

