કેશોદના બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ ઓઝત નદીના તૂટેલા પાળાના સમારકામ માટે આક્રોશ વ્યક્ત કરતાં અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચોમાસામાં નદીના પાળા તૂટી જવાથી ખેતીની જમીનોને નુકસાન થયું હતું, પરંતુ 8 મહિના વીતવા છતાં તંત્ર દ્વારા સમારકામ ન કરાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

