IPL 18 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ બુધવારે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના પછી નાસભાગ મચી ગઈ હતી. અત્યાર સુધીમાં નાસભાગમાં 10 લોકોના મોત થયા છે. તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે. જોકે, આ આંકડો વધી પણ શકે છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ દુ:ખદ અકસ્માત પછી એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે કોઈ કેવી રીતે નાસભાગમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે?

