પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ સ્ટરલાઈટ દ્વારા નાખવામાં આવનાર 765 કેવી વીજ લાઇન પસાર થનાર છે. આ વીજ લાઇન સુરત જિલ્લાના પણ અનેક ગામોમાંથી પસાર થનાર છે. ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. અગાઉ પણ સુરત જિલ્લાના માંડવી, પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એવું બારડોલી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં થાય એ માટે ખેડૂત સમાજની અગત્યની બેઠક મળી હતી. બારડોલી તાલુકાના મોતા ગામે આ બેઠક યોજાઇ હતી.

