Ceasefire violation: ભારત-પાકિસ્તાન સરહદે છેલ્લા 4 દિવસથી તણાવ અને ઘર્ષણ બાદ આજે સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈ સત્તાવાર જાહેરાત પણ થઈ ચુકી અને તેના થોડા જ કલાકો બાદ જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેકટરમાં ફરી પાકિસ્તાને અવળચંડાઈ કરી ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા. જ્યારે બીજા સાત જવાન ઈજાગ્રસ્ત થયા છે. સબ-ઈન્સપેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝે વીરતાપૂર્વક આગળ વધીને આગેવાની કરી સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

