ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઘરથી બહાર નીકળવાની નોબત આવે ત્યારે ચોક્કસ પ્રકારની કાળજી રાખવી આવશ્યક બની જાય છે. ખાસ કરીને સનસ્ક્રીન લોશન લગાવવું, ગૉગલ્સ પહેરવાં, ત્વચાને સીધો તડકો ન લાગે એવાં વસ્ત્રો પહેરવા ઇત્યાદિ. આ તો થઈ બાહ્ય કાળજીની વાત. પરંતુ આંતરિક રીતે ટાઢક મેળવવા, શરીરને હાઈડ્રેટ રાખવા પણ કેટલીક તકેદારી આવશ્યક બની રહે છે. તેને માટે તમે પાણીની બૉટલ, ગ્લુકૉઝ ઇત્યાદિ લઈને નીકળો. પણ કાળઝાળ ગરમીમાં ગળું સુકાય, ડિહાઈડ્રેશન થાય ત્યારે આ પાણી અને ગ્લુકૉઝ ખતમ થઈ જાય તો શું કરવું? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે આવું બને કે ન બને, તમે દઝાડી નાખતી ગરમીમાં નાળિયેર પાણી પીને શરીરને હાઇડ્રેટ રાખી શકો છો. વાસ્તવમાં નાળિયેર પાણી શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખવા સાથે તમને અન્ય રીતે પણ સ્વસ્થ રાખે છે. જેમ કે..,

