નડિયાદ બાદ હવે રાજકોટમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રાજકોટના રેલનગર વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થઇ ગયો છે. ટ્યુશનનું કહીને ઘરેથી નીકળેલી સગીરા ઘરે પાછી જ ફરી નથી. બાદમાં કોઈ સાહિલ નામક શખ્સ દ્વારા પ્રેમ પ્રકરણમાં ફસાવી અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

