ગુજરાતના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણ થતા વાહનો નદીમાં ખાક્યા હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, સરપંચ અને પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.

