બોલિવૂડ સિંગર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ વિશે એવું નિવેદન આપ્યું કે તેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. તેણે જાહેરમાં વિશ્વાસ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો અને એમ પણ કહ્યું કે તેને માનસિક સારવારની જરૂર છે. જ્યારે મામલો ગરમાયો, ત્યારે તેણે તરત જ ટ્વિટ ડિલીટ કરી દીધું અને માફી માંગી.

