Ahmedabad news: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના યુવાનો સાથે કમનસીબ દુઃખદ ઘટના ઘટી. ચાર દલિત યુવાનોના નદીમાં તણાઈ જવાથી મૃત્યુ થયા છે. દુઃખની બાબત એ છે કે તેમના મૃતદેહોને તંત્ર દ્વારા ટ્રેકટરની ટ્રોલીમાં નાંખીને લઈ જવામાં આવ્યા. એકપણ રૂપિયાની સહાય હજી સુધી પરિવારના સભ્યોને મળી નથી. ત્યારે રાજ્ય સરકાર પાસે માંગણી કરું છું કે, મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે.

