Jamnagar news: જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકાના ખોબા જેવડાં માણેકપર ગામમાં બે ભાઈબહેનનાં ડૂબી જતા મોત થવાથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગામમાં રહેતા અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના બે બાળકો પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત થયા હતા.

