કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં સુરતના એક સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ગોઝારા હુમલા બાદ સુરતના જરીવાલા પરિવારની કડવી યાદો ફરી તાજી થઈ છે. 2009માં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના ચાર બાળકોના મોત થયાં હતા. આતંકવાદનો ભોગ બનેલા સુરતના શિવાંગનું બાળપણ છિનવાઇ ગયું છે. આ હુમલામાં તે બચી તો ગયો છે પરંતુ આજે પણ તે પોતાના પગે ચાલી શકતો નથી. પોતાના જુના જખ્મોને યાદ કરીને કહે છે, આતંકવાદથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે આતંકવાદીઓની ધરપકડ નહીં ઠાર કરો, લોકો કાશ્મીર ફરવા નહીં જાય.

