સુરતના વરાછાના યોગીચોક વિસ્તારમાં રહેતા યાર્નના વેપારી ઉપર થોડા દિવસ પહેલા મોપેડ લઈને કારખાને જતી વખતે પરવત ગામ અંજનીનંદન પ્રોજેક્ટની બાંધકામ સાઈટ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમને પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચકચારીત બનેલા ફાયરિંગના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

