રાજકોટમાં ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક લાંચના કેસમાં તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ સામે કાર્યવાહી કરી હોવાની ઘટના સામે આવી છે. એક વેપારીએ રામભાઈ મોકરિયાને રજૂઆત કરી હતી કે તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણે ગેરરીતિ સબબ 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ રજૂઆતના ૧૦ મિનિટની અંદર જ અધિકારીએ લાંચની રકમ પરત કરી દીધી હતી.

