માણાવદરના MLA અરવિંદ લાડાણીના ગુજકોમોસોલ અધિકારીઓ પર આક્ષેપ લગાવવાને મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. તેમણે કહ્યું હતું કે, સસ્તી પ્રસિદ્ધિ માટેનો આ ફક્ત દેખાવ છે. મોટા ભાગની ખરીદી મંડળી ભાજપ પ્રેરિત લોકોની છે જેમાં ખેડૂતોને નુકસાન થાય છે. આગામી ચૂંટણીમાં તેનો જવાબ ભાજપને મળશે.

