હાલનો જમાનો એઆઈ એટલે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અત્યાધુનિક યુગ છે. તેમ છતાં પણ વિધીના નામે લોકોને અંધશ્રદ્ધામાં રાખનારાઓનો પાર નથી. છોટાઉદેપુરમાં બાળકની બલિ દેવામાં આવી છે તો સુરતમાં અમરેલીથી સબંધીને મળવાના આવેલા ભુવાએ કાપોદ્રાના દંપતિને તમારો યોગ પાક્યો છે. તમારા ભાગ્ય ખુલી ગયા છે એમ કહીને વિધીના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યાનો બનાવ કાપોદ્રા પોલીસમાં નોંધાયો છે.

