સુરતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લૂંટના ઇરાદે એક શ્રમિક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા વાગતાં ઈજાગ્રસ્ત હાલ જીવન મરણ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બીજી તરફ પોલીસે હુમલાખોર અતુલ સુનિલ પાંડે અને નિરજ સંજયભાઇ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે.

