રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાર્થિવ દેહના આજે અંતિમ સંસ્કાર થવાના છે, ત્યારે વિજય રૂપાણીના મિત્ર અને ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરીએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ કહ્યું કે, બે દિવસ પહેલા તેમની ટિકિટ બુક થઈ હતી,પરંતુ લુધિયાણાની ચૂંટણીના કારણે તેમણે ટિકિટ એક્સેટન્ડ કરી હતી.વિજય રૂપાણી 12 તારીખે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ કમનસીબ ઘટના બની છે.તેઓના નિધનથી હજુ સમગ્ર રાજકોટ સ્તબ્ધ છે.

