Bodeli news: છોટાઉદેપુરના બોડેલી ખાતે કાર્યકરોની મિટિંગમાં આવેલા દેશની રાજધાની દિલ્હીના માજી ધારાસભ્ય અને ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું ક, કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે લોકો કાશ્મીરમાં ફરવા માટે ગયા હતા તે લોકોનાં મોત થવા તે દુખની બાબત છે, જ્યારે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.

