આંધ્ર પ્રદેશની હાઈકોર્ટે એક કેસમા સુનાવણી કરતાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકોના ધર્મ પરિવર્તનને લઈને મોટુ નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યુ કે, જો કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી લે છે, તો તેનો SC નો દરજ્જો પણ ખતમ થઈ જાય છે. એટલે કે તે અનુસૂચિત જાતિ તથા જનજાતિ અધિનિયમ હેઠળ તે સંરક્ષણનો દાવો કરી શકતો નથી.

