અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં બે ડોક્ટરોએ CJIને પત્ર લખીને આ ઘટના મામલે સંજ્ઞાન લેવા વિનંતી કરી છે. આ સાથે જ આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 50 લાખ વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના વિમાન AI171 ટેક ઓફ બાદ ક્રેશ થતા તેમાં રહેલા 241 મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.

