ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી ખોલવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સોમવારે (૧૨ મે, ૨૦૨૫) એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 7 જેટલા એરપોર્ટ બંધ કર્યા હતા. AAI એ દેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ખોલવા માટે એરમેનને નોટિસ (NOTAM) જારી કરી છે.

