જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારનો આઠ વર્ષનો બાળક પોતાના ઘેરથી ગુમ બન્યો હતો. પરિવારજનો બાળકની શોધખોળ કરી રહ્યા હતા અને આ અંગે પોલીસમાં પણ કરી હતી. આ દરમિયાન બાળકનો મૃતદેહ રણમલ તળાવમાંથી મળી આવ્યો હતો. બાળક ન્હાવા માટે પડતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.

