
પ્રેમના દિવસથી પ્રચલિત વેલેન્ટાઇન ડેની ખાસ ઉજવણીના ભાગરુપે અમદાવાદમાં નિ:શબ્દ પ્રેમની અનેક અનૂભુતિને વાચા આપવાની એક ઈવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં લેખક, વક્તા જય વસાવડા અને અભિનેત્રી, ફિટનેસ કોચ સપના વ્યાસ દ્વારા ઓડિયન્સ સાથે હળી મળીને જીવનના વિભિન્ન પાસાઓ પર વિચારોની આપલે કરવામાં આવી હતી.
બંને મુખ્ય મહેમાનોએ વેલેન્ટાઇન્સ દિવસે સાચા પ્રેમ અંગે શ્રોતાઓને ઊંડી સમજ પુરી પાડી હતી. તેમણે લોકોને પ્રેમના અનુભવ વિશે જણાવતા કહ્યું કે જ્યારે કોઈને સાચો પ્રેમ થાય છે ત્યારે તેને ફીક્કી દાળ પણ સારી લાગે છે. તેમણે નવી પેઢીને પ્રેમ કરવા અને તેનો પોતાના સાથીદારને કેવી રીતે અનુભવ કરાવવો તે અંગે વિસ્તૃત સમજ આપી હતી. બે પ્રેમ કરનારાઓમાં સમજણ એક મોટું પાસું હોય છે અને જેનાથી સંબંધ ટકી રહે છે, જે પ્રેમમાં પડી જાય છે તે પોતાના પ્રિયજનમા એવો તલ્લીન થઈ જાય છે કે તેને બીજું કશું સૂઝતું જ નથી. સોશિયલ મીડિયા દ્વારા થતા પ્રેમમાં પોતાના પ્રિયજનોને પામવા વ્યક્તિ અનેક પ્રકારની તરકીબો કરે છે.
ત્યારબાદ એ ગુજરાતી અભિનેત્રી તને ફિટનેસ આઈકોન સપના વ્યાસે પણ પ્રેમ અંગે વાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે જે તમને અંદરથી રમાડી દે તે પ્રેમ છે. જ્યારે પણ તમે કોઈ પાત્રને પસંદ કરો છો ત્યારે એ સમયની સમજ અને વિકલ્પ જોઈને પસંદ કરો છો. એ સમયે તો એ આ વ્યક્તિ આપણને સરસ જ લાગે છે પણ થોડો સમય પસાર હવે પછી તે બદલાય તો આપણને વાસ્તવિકતાની ખબર પડે છે. અને એકબીજાની ખામીઓ કાઢવા લાગે છે. આવા વાંધાઓ એ ત્યારે જ થાય છે જ્યારે પ્રેમ ધીરે ધીરે ઓછો થવા માંડે છે. પણ અત્યારે પ્રેમના ચશ્મા પહેર્યા હોય ત્યારે તો બધું જ પરફેક્ટ લાગે છે. જેમ જેમ અપેક્ષાઓ વધતી રહે તેમ તેમ વિવાદો શરૂ થાય છે. સપના આવ્યા છે થનારી ગુજરાતી ફિલ્મ પર્વત વિશે જણાવતા કહ્યું હતું કે હું