દાહોદમાં મનરેગા કૌભાંડ અંગે બચુ ખાબડના પુત્રો સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એવામાં સમગ્ર મામલે આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. આપ ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે જણાવ્યું કે, પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરાઓને અને ભાણેજ દ્વારા મનરેગા કૌભાંડ કરાયું છે. ૨૦૧૯થી ચાલતું કૌભાંડ છે જે ૩૦૦થી ૪૦૦ કરોડનું કૌભાંડ છે. પંચાયત મંત્રી હોવા છતાય એમને ખબર ના હોય એવું કેવી રીતે બને? પોલીસ ફરિયાદ અને એમના જ મંત્રાલયમાં આવું કૌભાંડ થાય તો એમની મંત્રી તરીકે રહેવાની લાયકાત ખરી ?

