રાજ્યમાં ધીમે ધીમે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, હત્યા અને મારા-મારીની ઘટનાનું પ્રમાણ પણ ઉત્તરોતર વધી રહ્યું છે. આજે પાલનપુરના સદરપુરા ગામમાં ખેતમજૂરી કરનાર શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મજૂરનું મોત નિપજ્યું છે. મજૂરની ઓળખ ફુલાજી આદિવાસી તરીકે થઈ છે. મજૂર કેટલાક શખ્સો ધારદાર હથિયાર સાથે તૂટી પડ્યા હતા.

