ગુજરાતમાં પ્રથમવાર એક મંચના નેજા હેઠળ આગામી દિવસોમાં મોટો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. નવમી માર્ચે અમદાવાદના આંગણે ગુજરાત બાર કાઉન્સિલનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 11 હજારથી વધુ વકીલોના પદવીદાન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા સહિતના મહાનુભાવો હાજર રહેવાના છે.

