MGNREGA: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના એક મંત્રીના દીકરાએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. ગરીબોનું ઘર ચાલે અને ગરીબોને 100 દિવસની રોજગારી મળે તે માટે મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને ગરીબો સુધી આ યોજનાનો લાભ પહોંચે તેની જવાબદારી મંત્રીની હોય છે. પરંતુ મંત્રીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી અને એજન્સીઓ બનાવીને કરોડો રૂપિયા ઉપાડી લીધા પરંતુ કામ જ ન કર્યું.

