જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કરી દીધું છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરીને સૌ પ્રથમ પાકિસ્તાનને ભીંસમાં લીધું. અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી હતી અને તમામ પાકિસ્તાનીઓને દેશ છોડી દેવાનું ફરમાન કરાયું હતું. આ જ અનુસંધાને પાકિસ્તાન પર સખ્તા દર્શાવતા ઈમ્પોર્ટ એક્સપોર્ટ વ્યવહાર પણ બંધ કરી દીધો છે.

