ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ ઓગસ્ટ સુધી રમાશે, જ્યારે આ સિરીઝ પછી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની હતી. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ODI અને T20 સિરીઝ રમવાની હતી. ODI સિરીઝમાં, લાંબા સમય પછી, ફેન્સને રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીને પણ રમતી જોવા મળવાની હતી. હવે બાંગ્લાદેશ પ્રવાસ અંગે એક મોટું અપડેટ સામે આવ્યુંછે, જેનાથી રોહિત અને વિરાટના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.

