સુરત શહેર અંગદાનના શહેર તરીકે ઉભરી રહ્યું છે. રોજે રોજ બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન થઈ રહ્યાં છે. ત્યારે બ્રેઈનડેડ જાહેર થયેલા પન્નાબેન શિંગાળઆના અંગોના દાનથી 7 વ્યક્તિઓને નવું જીવન મળ્યું હતું. એક સાથે 7 વ્યક્તિઓમાં અલગ અલગ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ શહેરની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેથી એક સાથે સાત જિંદગીના જીવન દીપી ઉઠ્યાં છે.

