પાકિસ્તાનના કબ્જા ધરાવતા કાશ્મીર (PoK)ના કથિત વડાપ્રધાન ચૌધરી અનવારૂલ હકે પહેલગામ હુમલા બાદ ભારત વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. સાથે એમ પણ માન્યું કે આ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું છે. એક કાર્યક્રમમાં અનવારૂલ હકને પહેલગામ આતંકી હુમલા પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને આ હુમલાને બલૂચિસ્તાનનો બદલો ગણાવ્યો હતો અને કહ્યું કે ભારતમાં દિલ્હીથી કાશ્મીર સુધીની જમીનને દહેલાવવાનું કામ કરીશું.

