અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ ન નોંધવાના કારણે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શત્રુગન નામના ફરિયાદી મારામારીની ઘટના અંગે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. આથી ફરિયાદીએ ઝોન-4ના ડીસીપી કાનન દેસાઈને ફોન કરી જાણ કરી.ડીસીપી કાનન દેસાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી.

