એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારએ એક મહત્વની વાત કરી છે. પવારના કહેવા પ્રમાણે એમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ચેતવણી આપી હતી કે, પીએમએલએ કાયદાનો દુરઉપયોગ થવાની શક્યતા છે. આ વાત પવારે ત્યારે કરી હતી કે જ્યારે પી ચિદમ્બરમેએ કાયદામાં ફેરફાર કર્યો હતો. પવારના કહેવા પ્રમાણે ચિદમ્બરમે કાયદામાં જે ફેરફાર કર્યો હતો એને કારણે કાયદાનો દુરઉપયોગ થઈ શકે એમ હતું. જોકે એમની વાત માનવામાં આવી નહીં. હવે ચિદમ્બરમ પોતે આજ કાયદાનો શિકાર બની ગયા છે. પીએમએલએનો કાયદો ભારતમાં મની લોન્ડરીંગ રોકવા માટે અને તે દ્વારા ભેગી કરવામાં આવેલી સંપત્તી જપ્ત કરવા માટે વપરાય છે. આ કાયદા હેઠળ ઇડીને અમર્યાદિત સત્તા મળી ગઈ છે.

