ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ઊભા થઈ રહેલા સવાલોનો વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'પાકિસ્તાનની સાથે અમારા સંબંધ અને વ્યવહાર સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય રહેશે. તેમાં સહેજ પણ ફેરફાર નથી થયો. વડાપ્રધાને પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની સાથે હવે વાતચીત માત્ર આતંકવાદ અને પીઓકે ખાલી કરવા પર થશે.'

