આપણે બધા એ મહાભારતની વાર્તા-સંવાદો જરૂરથી સાંભળ્યા જ છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના પાંડવો સાથેના સંવાદોનો પણ ખ્યાલ હશે જ. જ્યારે કુરુક્ષેત્રની લડાઈમાં લાખો લોકો હણાયા તેમજ પાંડવોના ભાઈ જેવા કૌરવો તેમના ગુરૂ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જેવા મહારથીઓ હણાયા તેનું દુઃખ પાંડવોને હતું જ. પરંતુ આ એક ધર્મયુદ્ધ હતું તેથી તેઓ એ અધર્મ સામે લડીને ધર્મને સ્થાપિત કર્યો અને ૨૭ વર્ષ સુધી હસ્તિનાપુર પર રાજ કર્યું. અંતે શ્રીકૃષ્ણ એ પાંડવોને પશ્ચાત્તાપ કરવા માટે જીવનના અંતિમ પડાવમાં સ્વર્ગ રોહિણી જવા માટે કહ્યું.

