સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ટેલિકોમ કંપનીઓને એજીઆરના નાણા સરકારને ચૂકવવામાં ગણતરી કરવી, વ્યાજ કે પેનેલ્ટી સહિત કોઇપણ પ્રકારની રાહત આપવા ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી એરટેલને ધક્કો લાગશે પણ વોડાફોન આઈડિયાના અસ્તિત્વ સામે મોટું જોખમ ઉભું થશે. ફરી એકવાર કોર્ટના ચુકાદાના કારણે દેશના ટેલિકોમની ભૂગોળ અને ઈતિહાસ બદલાઈ જવાના છે. 2019થી જેની ઘડીઓ ગણાય રહી હતી અને કંપની, શાખ બચાવવા વોડાફોન અને આદિત્ય બિરલા જૂથ હવે કેવી રીતે વોડાફોનને જીવંત રાખે છે તેના ઉપર ગ્રાહક, સ્પર્ધક અને સરકાર ત્રણેયની નજર મંડાયેલી છે.

