ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ માનાતું આધુનિક લડાકુ જહાજ INS સુરત આજે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર સન્માનપૂર્વક પહોંચી ગયું છે. યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે INS સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.આ INS સુરત, એ ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એક અતિ આધુનિક guided missile destroyer છે, જે ભારતીય નૌકાદળના વિઝન 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજે દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પગેછાંપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા ધરાવે છે.

